Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આંબેડકરનગરમાં મનિષના ચશ્મા કાઢી લઇ સૂરજે ઇંટ અને પથ્થરના ઘા કર્યા

રાજકોટ તા. ૯: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૪માં રહેતાં અને છુટક મજૂરી કરતાં મનિષ હરિભાઇ ચંદ્રપાલ (ઉ.૨૩) નામના વણકર યુવાનને તે સાંજે ઘર નજીક પાનની દૂકાને ફાકી ખાવા ગયો ત્યારે સૂરજ ચોૈહાણ નામના શખ્સે ઝઘડો કરી ઇંટ પથ્થરના ઘા કરી ઇજા કરતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મનિષના પિતા હરિભાઇના કહેવા મુજબ મનિષ ફાકી ખાવા ઉભો હતો ત્યારે સૂરજે આવી તેના ચશ્મા કાઢી લઇ તેમજ ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરતાં તેને અટકાવતાં ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(10:25 am IST)