Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થીઓ અને જ્ઞાતિરત્નોનું સન્માન

રાજકોટ, તા. ૯ : શ્રી ઔદિચ્ય ઝાલાવાડી, બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સંસ્થાના સભ્યના ધો.૧ થી ૧૨ સ્નાતક, અનુસ્નાતક કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા સંતાનો તથા આ ઉપરાંત કોઈપણ ૅક્ષેત્રમાં રાજય કે રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ ધરાવતા જ્ઞાતિરત્નોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

આ માટેના ફોર્મ તા.૧૦ થી તા.૩૦ સુધીમાં ફોર્મ મેળવી ભરી પરત કરવા. (૧) શ્રી મુરલીધર શૈક્ષણિક સંકુલ - ૮/૧૧ વર્ધમાનનગર, પેલેસ રોડ, (૨) ઈનોવેટીવ સ્કુલ - મિલાપનગર મેઈન રોડ, સર્વેશ્વર મહાદેવની સામે, પંચાયતનગર, યુનિવર્સિટી રોડ, (૩) ભાવનાબેન જોષી - અમૃતમેનોર એપાર્ટમેન્ટ, ૧૪/૩ જાગનાથ પ્લોટ, (૪) શૈલેષભાઈ રાવલ - ૪/૧૨, ગોપાલનગર, (૫) સતીષભાઈ રાવલ, ભૂમિ જવેલર્સ, ન્યુ મહાવીરનગર શેરી નં. ૧, માધવ હોલ પાસે, ગાંધીગ્રામ.

આ અગાઉ પ્રથમ કાર્યક્રમમાં ૧૩૦૦ જેટલા પરીવારજનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના મેનેજીંગ ટ્રસ્ટી દર્શિતભાઈ જાની , પ્રમુખ ભાવનાબેન જોષી (મો.૯૯૦૯૨ ૦૦૦૬૭), મહામંત્રી ડો.અતુલભાઈ વ્યાસ (મો.૯૮૨૪૪ ૬૦૮૪૨), ઉપપ્રમુખ શૈલેષભાઈ રાવલ (૯૮૨૪૪ ૨૫૮૭૮, સતીષભાઈ રાવલ (૯૬૩૮૬ ૧૯૯૪૪), મુકેશભાઈ ઠાકર, વિપુલભાઈ શુકલ, દુષ્યંતભાઈ રાવલ (મો.૯૮૭૯૨ ૦૭૩૦૧), હિનાબેન, પંકજભાઈ મહેતા, શિવમ રાવલ, કિશોરભાઈ જાની, ડો.હિતેશભાઈ જોષી (૯૮૨૪૨ ૧૪૭૫૭) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૧)

(4:56 pm IST)