Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સામાજીક ન્યાય સંબંધી સમિતિમાં જયશ્રીબેન વાઘેલાની નિમણુંક

માથે મેલુ નહીં ઉપાડવા સહીતની કાનુની જોગવાઇઓના મોનીટરીંગનું કાર્ય સંભાળશે

રાજકોટ તા. ૯ : નગર શહેરોમાં સફાઇ સહીતની કામગીરી કરતા લોકોનો સામાજીક દરજજો જળવાઇ રહે તે માટે કામ કરતા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં રાજકોટના જયશ્રીબેન મહેન્દ્રભાઇ વાઘેલાની નિયુકિત કરવામાં આવતા ઠેરઠેરથી તેઓને અભિનંદન મળી રહ્યા છે.

આ તકે તેઓએ જણાવેલ કે સમિતિનું કાર્ય માથે મેલુ નહીં ઉપાડવા જેવા કાયદાઓનું પાલન કરાવવા સહીત કામદારો આરોગ્ય અને અધિકારોની સુરક્ષા જાળવવા સંબંધી હોય છે. મેન્યુઅલ સ્કવેન્જર્સને લગતી કામગીર કરવા માટે રચયેલ આ સમિતિમાં સ્વૈચ્છીક સંસ્થાઓના ચાર પ્રતિનિધિઓ પૈકી બે મહિલા પ્રતિનિધિની નિમણુંક કરાતી હોય છે. જેમાં મને સ્થાન મળેલ છે.

નિમણુંક બાદ ખુશી શેર કરવા આવેલ જયશ્રીબેન મહેન્દ્રભાઇ વાઘેલા (મો.૭૬૦૦૮ ૮૯૫૪૦) ની સાથે સફાઇ કામજાર યુનિયનના ભરતભાઇ બારૈયા, જયોતીબેન વાઘેલા, ગીરધરભાઇ વાઘેલા, મનસુખભાઇ વાઘેલા, મનસુખભાઇ ઝાલા, રોસીભાઇ પરમાર, સવિતાબેન રાઠોડ, મહેન્દ્રભાઇ વાઘેલા, રૂપેશભાઇ લઢેર વગેરે  નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

 

(4:52 pm IST)