Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રીલાયન્સ મોલ સહિત ૬૫૦ આસામીઓને મહેસૂલ બાકી અંગે પશ્ચિમ મામલતદારની નોટીસ

રાજકોટ તા.૯: પશ્ચિમ વિસ્તારના મામલતદારશ્રી ભગોરાએ ગયા અઠવાડિયે રીલાયન્સ મોલ સહિત ૬૫૦ આસામીઓને મહેસૂલ બાકી અંગે ૮ દિ'માં મહેસૂલ કર ભરી દેવા અંગે નોટીસ ફટકારતા દોડધામ મચી જવા પામી છે, કલેકટરની સૂચના બાદ રાજકોટના ત્રણેય મામલતદારોએ મહેસૂલ બાકીની ઝડપી વસૂલાત શરૂ કરી છે, ગયા અઠવાડિયે દક્ષિણ-પૂર્વ મામલતદારે નોટીસો ફટકારી હતી, હવે પશ્ચિમ મામલતદારે કુલ ૬૫૦ આસામીઓ સામે લાખોની બાકી વસૂલાત નોટીસો ફટકારી છે, અને જો કર નહી ભરે તો મિલકત જપ્તી સહિતની ચેતવણી અપાઇ છે, હાલ પશ્ચિમ મામલતદાર તંત્ર વસૂલાતમાં આગળ છે, ગયા મહિને ૧૧ લાખની રીકવરી કરી લેવાયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

(4:50 pm IST)