Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રૈયાધારની ભગવતીબેન બે સંતાન સાથે ગૂમઃ હરેશ પ્રજાપતિ પર શંકા

પતિ ગોપીરામ ભાટીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી

રાજકોટ તા ૯ : રૈયાધાર મારવાડી મફતીયાપરામાં રહેતી રાજસ્થાની મહિલા તેના બે બાળકો સાથે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પતિએ પોલીસમાં જાણ કરી છે. ઉપરાંત પત્નિને એક પ્રજાપતિ શખ્સ ભગાડી ગયાની પણ લેખિત ફરિયાદ કરી છે.

રૈયાધાર મફતીયાપરામાં હનુમાન મંદિર  પાસે રહેતી ભગવતી ગોપીભાઇ દશાવાટી (ઉ.વ.૨૫)  તા. ર/૭ ના રોજ તેના ત્રણ વર્ષના પુત્ર રવિન્દ્ર અને દોઢ વર્ષની પુત્રી મનિષા સાથે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પતિ ગોપીરામ હરીરામ દશાવટીએ શોધખોળ આદરી હતી. પરંતુ  કોઇ પતો ન મળતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગૂમની નોંધ કરી છે.  આ અંગે પી. એસ.આઇ. કે.એન ડોડીયા તથા  રાઇટર પ્રદિપભાઇ કોટકે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતી મહિલા અને તેના બે બાળકો કોઇને જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૫૭૫૧૨૪ અથવા મો. ૯૫૭૪૮ ૦૧૪૩૭ જાણ કરવા જણાવાયું છે. પતિ ગોપીરામ ભાટીએ અલગથી પોલીસને લેખિત ફરિયાદ કરી પોતાની પત્નિને બદકામના ઇરાદે હરેશ પ્રજાપતિ ભગાડી ગયાની જાણ કરી છે. આ શખ્સ અગાઉ પડોશમાં રહેતો હતો. હરેશ ઇલેકટ્રીક કામ કરે છે. તે ઘરે છોકરા રમાડવા આવતો હતો. ગોપીરામને શંકા જતાં તેણે પોતાનું મકાન બદલી નાંખ્યું હતું. આમ છતાં હરેશ ઘરે આવ-જા કરતો હતો. હાલમાં તે પણ ગાયબ હોઇ તેના તરફ શંકા દર્શાવાઇ છે.

(4:47 pm IST)