Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઓશો વાટીકામાં ૨૬મીથી ૪ દિવસીય ઉનકી અનુકંપા મેડીટેશન કેમ્પ

શિબિરનું સંચાલન કરશે સ્વામી રવિન્દ્ર ભારતી : લાઈવ વાયોલીન માસ્ટર અનુપ્રિયા કેરવોટલે રજૂ કરશે

રાજકોટ, તા. ૯ : રાજકોટ - કાલાવડ રોડ પર ૧ હજારથી વધુ વૃક્ષોથી સુશોભિત કુદરતી વાતાવરણ અને શાંતિમય જગ્યામાં નવા નિર્માણ પામેલ બુદ્ધા હોલમાં સામૂહિક સાધના શિબિર ઉનકી અનુકંપા મેડીટેશન કેમ્પનું રાજકોટથી ૧૭ કિ.મી. દૂર બાલસર ગામ પાસે, શાંત અને કુદરતી વાતાવરણમાં લોકોને રહેવા - જમવાની અતિ આધુનિક ફેસેલીટી ધરાવતી ઓશો વાટીકામાં આયોજન કરવામાં આવેલ છે. શિબિરનું ઉદ્દઘાટન તા.૨૬ના ગુરૂવારના સાંજે ૬ કલાકે રાખેલ છે. તા.૨૯ રવિવાર બપોરે ૨ કલાકે સમાપન થશે.

લાઈવ - વાયોલીન માસ્ટર અનુપ્રિયા કેરવોટલે તા.૨૮ના રજૂ કરશે. શિબિરનું સંચાલન સ્વામી રવિન્દ્ર ભારતી કે જેઓ ઓોશ ધામ દિલ્હીથી આવી સંચાલન કરશે. તેમના સાનિધ્યમાં ઓશોએ આપેલી એકટીવ ધ્યાન વિધિઓ સામૂહિક વિશિષ્ટ પ્રયોગો દ્વારા થશે.

ઓશો કહે છે કે, બુદ્ધના સમયમાં લોકો એટલા સરળ હતા કે સરળતાથી બેસી ધ્યાનમાં પ્રવેશ કરી શકાતો. પરંતુ આજના તનાવ ભર્યા માહોલમાં તેમજ ઝડપી અને ટેકનોલોજી યુકત યુગમાં સરળતાથી ધ્યાનમાં જવું મુશ્કેલ છે. ઓશોએ આજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અતિ આધુનિક ધ્યાનની વિધિઓ એકટીવ ધ્યાન આપેલ છે. આજના આધુનિક યુગમાં સરળતાથી ધ્યાનમાં પ્રવેશવાની વિધિઓમાં આમંત્રણ અપાયુ છે.

વિશેષ માહિતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮૨૯, ૮૩૨૦૫ ૩૫૩૫૫. સ્થળ : ઓશો વાટીકા, કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઈડનો રોડ, (વાયા વાગુદળ, બાલાસર રોડ), રાજકોટ.

(12:59 pm IST)