Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દાઉદી વ્હોરા સમાજ દ્વારા પદાધિકારીઓનું સન્માન

રાજકોટ : મહાનગરપાલિકાના નવનિયુકત મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારનું રાજકોટ દાઉદી વ્હોરા સમાજ દ્વારા શાલ તથા બુકે અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું. રાજકોટ શહેર અને લોકશાહીનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજની પી.આર.ઓ. કમીટીના શેખ યુસુફભાઈ જોહર કાડ્ર્સવાળા, શાકીરભાઈ કાચવાલા, અસગરભાઈ વંથલીવાળા, તૈયબભાઈ ધ્રોલવાલા, શબ્બીરભાઈ કાચવાલા, જાબીરભાઈ લોટીયા ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૩)

(12:57 pm IST)