Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હનુમંત એકેડેમી દ્વારા સોમવારે શૈક્ષણિક સેમીનાર

પૂ. મોરારીબાપુની અધ્યક્ષતમાં હેમુ ગઢવી હોલ ખાતે આયોજન : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તજજ્ઞોનું માર્ગદર્શન

રાજકોટ તા. ૯ : ઉજવળ કારકીર્દી અર્થે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન મળી રહે તે માટે હનુમંત એકેડેમી દ્વારા એક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો આપતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૧ ના સોમવારે બપોરે ૨.૩૦ થી ૬ સુધી હેમુ ગઢવી હોલ ખાતે વિશ્વ વંદનીય  સંત શ્રી મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સેમીનારમાં સૌ.યુનિ.ના પ્રથમ મહિલા કુલપતિ પ્રો. નિલાંબરીબેન આર. દવે તેમજ જાણીતા વકતા શૈલેષભાઇ સગપરીયા, જાણીતા શિક્ષણવિંદ ગીજુભાઇ ભરાડ, સૌ.યુનિ.ના સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

અહી ઉલ્લેખનીય છે કે હનુમંત એકેડેમી દ્વારા સમાજના તમામ વર્ગના વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવે તેવા આશયથી તાલીમ વર્ગો ચલાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર હાઇસ્કુલ લેવલથી જ થવા લાગે તે માટે ધો.૧૦ અને ૧૨ પછી કે કોલેજ પછી કઇ કઇ તૈયારી કરવી તે અંગે આ સેમીનારમાં માર્ગદર્શન અપાશે.

ઉપરાંત સરકાર દ્વારા મળવા પાત્ર સ્કોલરશીપ અંગે પણ જાણકારી અપાશે.

સમગ્ર સેમીનાર નિઃશુલ્ક છે. પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. લાભ લેવા ઇચ્છુક વિદ્યાર્થી-વાલીઓએ હનુમંત એકેડેમી મો.૮૮૬૬૭ ૨૧૬૫૧, મો.૯૪૨૭૫ ૪૪૪૪૪, મો.૯૮૭૯૦ ૭૫૪૭૫, મો.૭૭૭૯૦ ૩૩૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં સમગ્ર સેમીનારની વિગતો વર્ણવતા ગૌરવ દાણીધારીયા, પ્રો. વિવેક ગોંડલીયા, ડો. ચિન્તન ગોંડલીયા, કૌશલ ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

(4:29 pm IST)