Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પોપટપરા નાલા પાસે પરિણીતા પૂજાબેનનો ફાંસો ખાઇ આપઘાત

પ્રથમ પતિના અવસાન બાદ આઠ માસ પહેલા જ બીજા લગ્ન કર્યા'તા

રાજકોટ તા. ૯: પોપટપરા નાલા સામે લાલ બહાદુર શાસ્ત્રીનગર-૪માં રહેતી પુજાબેન મોન્ટુ જોષી ઉ.૨૯) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આઠ માસ પહેલા જ પુજાબેનના પ્રથમ પતિનું મૃત્યુ થયું હતું. તેના વિયોગમાં આ પગલુ ભર્યાનું સમજાય છે.

જાણવા મળ્યા મુજબ લાલબહાદુર શાસ્ત્રીનગરમાં પુજા સુધાકર નાનાણી (ઉ.૨૯) નામની યુવતિએ આપઘાત કરી લીધાની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ બી. જી. ડાંગર અને સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સુધાકર નાનાણી પુજાબેનના પ્રથમ પતિ હતાં. જેણે આઠેક માસ પહેલા ચામડીની બિમારીથી કંટાળી આત્મહત્યા કરી હતી. પુજાબેનને બે દિકરી જ્હાન્વી અને યશ્વી છે. હાલમાં તેણે મોન્ટુ જાષી સાથે બીજા લગ્ન કર્યા હતાં. મોન્ટુભાઇએ પોલીસને જણાવ્યું છે કે લગ્ન કરાવી આપતાં એજન્ટ મારફત પોતે પુજા સાથે લગ્ન કર્યા હતાં. પણ તેણીને તેના પહેલા પતિની બહુ યાદ આવતી હોઇ તે સતત શોકમાં રહેતી હતી. આજે પોતે બહાર હતાં અને દિકરીઓ ન્હાવા ગઇ હતી ત્યારે તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. કારણ અન્ય કંઇ તો નથી ને? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૩)

(4:23 pm IST)