Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કાલે મવડી ચોકડી ખાતે દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણઃ લોક ડાયરો

નાના મવા ખાતેના મેદાનમાં માયાભાઇ આહિર અને રાજભા ગઢવી રમઝટ બોલાવશેઃ શહેરીજનોને : આ કાર્યક્રમમાં ઉમટી પડવા કોંગી કોર્પોરેટર વિજય વાંક અને ઉર્વિશીબા જાડેજાની અપીલ

રાજકોટ તા. ૯ :.. આહીર સમાજના વીર સપુત દેવાયતભાઇ બોદરની પ્રતિમાની અનાવરણ વિધિ વોર્ડ નં. ૧ર માં મવડી ચોકડી ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કાલે તા. ૧૦ નાં કરવામાં આવશે.  સાંજે કલાકે આ પ્રસંગે વોર્ડ નં. ૧ર ના તમામ સમાજના રાજકીય, સામાજીક અગ્રણીઓ અને શહેરીજનોને ઉપસ્થિત રહેવા વિજય વાંક અને ઉર્વિશીબા જાડેજા દ્વારા અપીલ  કરવામાં આવી છે.

સમગ્ર આહીર સમાજ માટે આ ગૌરવવંતો અવસર હોય આ પ્રસંગે નાના મૌવા સર્કલ પાસે ખ્યાતનામ લોક ડાયરાના કલાકારો માયાભાઇ આહીર, રાજભા ગઢવી (સાસણ ગીર)નો લોક ડાયરો હોય આ પ્રસંગે પણ શહેરની જનતાને આહવાન કરી ઉપસ્થિત રહેવા વિજયભાઇ વાંક (કોર્પોરેટર) મુકેશભાઇ વાંક, મેહુલભાઇ ડાંગર, અરવિંદભાઇ આહીર, રાજુ ગરચર, અજયભાઇ મૈયડ, રમેશભાઇ વાંક, અજીતભાઇ વાંક, વિજયભાઇ માવલા, રાયધનભાઇ માવલાએ જાહેર અપીલ કરી છે. આ પ્રસંગે આહીર સમાજના સાંસદ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

સમગ્ર ક્ષત્રીય સમાજ પણ ઉપસ્થિત રહેશે તેમ ક્ષત્રીય અગ્રણી કનકસિંહ જાડેજા (વાવડી), યોગેન્દ્રસિંહ રાણા (બલાળા), હેમેન્દ્રસિંહ જાડેજા (કુંતાશી), યુવરાજસિંહ ઝાલા (મોટા ત્રાડીયા) યોગરાજસિંહ જાડેજા (વાવડી), નરેન્દ્રસિંહ જાડેજા (હડમતીયા), મહાવીરસિંહ જાડેજા (વાવડી), દશરથસિંહ જાડેજા (વાવડી), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા) દિલીપભાઇ ગોહીલ (પચ્છેગામ) ની યાદીમાં જણાવાયું છે. (પ-ર૭)

(4:21 pm IST)