Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

નરેન્દ્રભાઈ મોદીના પ્રચાર માટે વારાણસીના ગામડાઓ ખૂંદતા ભાવનાબેન જોષીપુરા-કમલેશભાઈ જોષીપુરા

લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. પ્રચાર ઝુંબેશમાં રાજકોટના પૂર્વ મેયર અને મહિલા અગ્રણી ભાવનાબેન જોષીપુરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોષીપુરા સહિતના વારાણસીના ગામડાઓ ખુંદી રહ્યા છે. વારાણસી સંસદીય ક્ષેત્રના મિર્ઝા મુરાદ ગામ ખાતે ગ્રામીણ વિસ્તારના ભાઈઓ-બહેનો સાથે સંવાદ અને વાતચીતનો સુંદર કાર્યક્રમ થયો. કેન્દ્રની વિવિધ કલ્યાણ યોજનાઓ અને સામાજિક સુરક્ષા પ્રબંધોની જાણકારીથી ગ્રામજનો ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમ ભાવનાબેન જોષીપુરા અને કમલેશભાઈ જોષીપુરાએ જણાવ્યુ હતું.

(3:53 pm IST)