Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

અમે કોણ ?? ત્રાસવાદી !!

૫ લાખ આપો નહિં તો ભડાકે દેશું !!

અંગ્રેજી-હિન્દીમાં પત્રઃ એ.કે. ૪૭થી ફુંકી મારવા બેન્ક મેનેજરને ધમકી પકડાયેલ યુવક બિમાર છેઃ પત્ર કોણે લખ્યો ? કાવત્રાખોર કોણ ?

રાજકોટ ૯: અમદાવાદના શાહીબાગ ગિરધરનગર ખાતે આવેલી એસબીઆઇ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા અને નાના ચિલોડા ખાતે રહેતા ખિસુલમ ભાગવાનીએ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓને ગત તા.૪ના રોજ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખેલો  એક પત્ર મળ્યો હતો. જેમાં અમે આતંકવાદી છીએ રૂપિયાની જરૂર છે, તમે રૂપિયા નહી આપો તો એકે-૪૭ થી ગોળી મારીશું. પત્રમાં મંગળવારે સવારે રૂપિયા પાંચ લાખ લાલ કપડામાં મુકીને સિવીલ પાછળ બી કોલોની પાસે મૂકી જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પત્ર આધારે શાહીબાગ પોલીસે છટકુ ગોઠવ્યુ હતું અને બેન્ક મેનેજર પાસે લાલ કપડાંમાં  રૂપિયા મુકાવ્યા હતા. જ્યાં રૂપિયા લેવા આવેલા યુવકને પોલીસે સિવિલ પાછળ આવેલી મણિબહેન આયુર્વેદીક હોસ્પિટલ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા  તે સિવિલ પાછળ બી કોલોની ચાલીમાં રહેતો મુકેશ રતીલાલ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતંુ.

પોીસ તપાસમાં યુવક બિમારીથી પીડાઇ રહ્યો છે, જો કે આ પત્ર તેણે લખેલો ન હતો જેથી પોલીસ દ્વારા આ કાવતરા પાછળ કોનો હાથ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ.એ.કે.પટેલે જણાવ્યું હતું.

(3:42 pm IST)