Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાવળ સમાજ ટ્રસ્ટ દ્વારા દરરોજ ઝુંપડપટ્ટીના ગરીબ ૩૦૦૦ લોકો માટે ભોજન વ્યવસ્થા

રાજકોટ, તા. ૯ : સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જયારથી લોક ડાઉન થયું ત્યારથી આજદિન સુધી કાર્યરત ભુખ્યને ભોજન નામનો સેવાકીય યજ્ઞ તથા ઝૂપડે ઝુપડે જઇને ભોજન પુરૂ પાડવાની અમુલ્ય અને બિરદાવા લાયક કાર્યશેલી અને સમાજમાં દાખલા રૂપ અનોખો અભિગમ અપનાવ્યો છે.

હાલ કોરોનાની મહામારીના અનુસંધનએ સરકારે લોકડાઉન જાહેર કરેલ હોઇ આ લોકડાઉનની ભયંકર પરિસ્થિતિ વચ્ચે રોજનું કમાઇ ને રોજનું ખાતા અને ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ પરિવારો પોતાના પરિવાર ના પેટનો ખાડો ઘરે બેઠા બેઠા કેમ પુરવો તે મોટો ચિંતાજનક વિષય બની રહ્યો છે. આવા રપ૦૦ થી ૩૦૦૦ માણસો વહારે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ભુખ્ય લોકોને ઝૂપડે ઝુપડે જઇને ભોજન પહોંચાડવાનો સંપૂર્ણ તકેદારી રાખીને અને સંપૂર્ણ કાયદાનું પાલન કરીને ભુખ્યાને ભોજન નામનો સેવાકીય યજ્ઞ આદરવામાં આવ્યો છે જેમાં સહભાગી અને જેની સેવાને ઇશ્વરને પણ આ મહામારી વચ્ચે બિરદાવી પડે એવા તટસ્થ અને સમાજના એક આગવું ઉદાહરણ સ્થાપિત કરી શકે તેવા કાર્યકર્તાઓ પ્રમુખ ગોપાલભાઇ બોરાણા, અધ્યક્ષ રાજેશભાઇ બોરાણા, મંત્રી મહેશભાઇ ગોહેલ, સહમંત્રી ધર્મેશભાઇ સોઢા, ખજાનચી, રાજેન્દ્રભાઇ સોઢા, ટ્રસ્ટી, મેહુલભાઇ ગોહેલ, ભાવિન પરમાર, નરેશભાઇ મેર, નીરવભાઇ વાણીયા, રવિભાઇ નકુમ, સભ્યો રાજીવભાઇ રાઠોડ, જયદીપભાઇ મછોયા, મુકેશભાઇ ભોજક, મનોજભાઇ મિયાત્રા અજયભાઇ ચૌહાણ સહિતના કાર્યકતાઓએ સાથે મળીને જહેમત ઉઠાવી છે.

(3:53 pm IST)