Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અલમીન ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ દિ'થી ૩૩ હજાર ટીફીન સેવા-ફૂડ પેકેટનું વિતરણ

રાજકોટઃ  સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર હોય તેમજ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના ૨-૩ તબક્કામાં હોય ત્યારે રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૫ના જુદા-જુદા વિસ્તારોમાં દરરોજ છેલ્લા ૧૧ દિવસથી વોર્ડની શેરીઓમાં ફરી ૩૩ હજાર ફૂડ પેકેટ અને ટીફીન ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થાના સ્થાપક  વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ છે.  આ રાહત કામગીરીમાં ટ્રસ્ટના સ્થાપક વશરામભાઈ સાગઠીયા, પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર,  રમેશભાઈ બથવાર, પુનાભાઈ ચાવડા, બાબુભાઈ વાદ્યેલા, તુલસીભાઈ મકવાણા, વિજયભાઈ સોલંકી, વિજયભાઈ રામકબીર, ચુનીભાઈ પરમાર, રવજીભાઈ સોંદરવા,  હીરાભાઈ ચાવડા, બીપીનભાઈ રાઠોડ, રામદેવસિંહ વાદ્યેલા, ચંદુભાઈ સાગઠીયા, વિશાલ ચાવડા, હરેશભાઈ સોલંકી, મૌલિક મકવાણા, નિખીલ પીપળીયા, વિપુલભાઈ રાઠોડ, નરેશભાઈ દવેરા, પરસોતમભાઈ પરમાર, વરુણ જામ્બુકિયા, જીવાભાઈ વાદ્યેલા,  સાગઠીયા ધર્મેશ, લલિત પરમાર, સુભાષભાઈ સાગઠીયા, મેસુરભાઈ સાગઠીયા, રાજુભાઈ સોલંકી, રમેશભાઈ પાંચલ, ભરતભાઈ સાગઠીયા મહિલા સેવકો મનીષાબેન સોલંકી, ભાવનાબેન બગદડીયા, વર્ષાબેન દ્યરાજીયા, હીરાબેન જીંજરીયા, રાણીબેન સોલંકી, પુનમબેન સોલંકી, આઈશાબેન સમા, રજીયાબેન સમા, ગીતાબેન ધરજીયા, પુજાબેન સોલંકી, જમનાબેન પરમાર, ગંગાબેન સોલંકી, વગેરે સેવા આપી રહ્યા છે.

(3:47 pm IST)