Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઓશોના બહેન માં યોગ ભકિત (રસામાં)એ દેહ છોડ્યો

ઓશોપ્રેમીઓ પોતપોતાના સ્થાને ધ્યાન કરી અંજલી આપે : નિશામાં

રાજકોટ : આધ્યાત્મિક વિશ્વની વિરલ પ્રતિભા ઓશોના બહેન માં યોગ ભકિત (રસામાં)એ આજે દેહ છોડી દીધો છે.

ઓશોના નાના બહેન નીશામાંએ રાજકોટના સન્યાસી જીનસ્વરૂપ સ્વામીજી (આર.જે.આહ્યા) સાથે આ અંગે ટેલીફોનિક વાત કરી હતી. નીશામાએ જણાવ્યુ હતું કે વર્તમાન લોકડાઉન સ્થિતિના કારણે ઓશો સન્યાસી તથા મિત્રો પોતે જે સ્થાને છે ત્યાં સાંજે ૩ વાગ્યે ધ્યાન કરી અંજલી આપશે.

ઉલ્લેખનીય છે કે ઓશોના બહેન રસામાં છેલ્લા ઘણા સમયથી હોશંગાબાદ રહેતા હતા. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સત્ય પ્રકાશજીએ જણાવ્યુ હતું કે મા રસામાની સ્મૃતિમાં અમે ધ્યાન ધર્યુ હતું.

(3:40 pm IST)