Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટના મેયર બીનાબેન આચાર્યના માતુશ્રી પડી જતા ઇજા

થાપાનો ગોળો ભાંગી ગયાનું નિદાન થતા ડો. રૂપેશ મહેતા દ્વારા સફળ સર્જરી

રાજકોટ, તા. ૯ :  રાજકોટના મેયર બીનાબેન આચાર્યના માતુશ્રી મંગળવાર રાત્રે આકસ્મિક પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી તેઓને સારવાર માટે સ્ટર્લિગ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેઓની સફળ સર્જરી કરાઇ હતી.

આ અંગે મળતી વિગત મુજબ મેયર બીનાબેન આચાર્યના માતુશ્રી ઇન્દિરાબેન યાજ્ઞિક (ઉ.વ.૮૬) બીનાબેનના ન્યારી-૧ ડેમ રોડ સ્થિત જે.બી. વિલા બંગલો ખાતે મંગળવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ આકસ્મિક રીતે પડી જતા બીનાબેન અને તેમના પતિદેવ જયેન્દ્રભાઇ આચાર્યએ તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલએ ખસેડાયા હતા જયાં આગળ થાપાનો ગોળો ભાંગી ગયાનું નિદાન થતા ડો. રૂપેશ મહેતાએ સર્જરી કરી હતી.

ઓપરેશન સફળ રહ્યું છે અને હવે તેમના માતુશ્રીની તબિયત સારી છે છતાં હજુ એકાદ સપ્તાહ હોસ્પિટલાઇઝ રહેવું પડશે તેમ મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

(11:31 am IST)