Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રૂ. ત્રણ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફોજદારી ફરિયાદ

રાજકોટ,તા. ૯: રૂ. ત્રણ લાખનો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ રણછોડનગર સોસાયટીમાં રહેતાા કિશોરભાઇ હરીલાલ બાબીયાએ સગાના નાતે વર્ષોથી ઓળખાણનો સબંધ ધરાવતા ગોંડલના ભોજપરા માર્ગ નં. ૭, માં રહેતા વાસુભાઇ નરેશભાઇ તળાવીયાને છ મહીના પહેલા ઉછીના પેટે રોકડા રૂ. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરા મદદ માટે આપેલા જે રકમ પરત આપવા બાબતે વાસુભાઇએ તેમના ખાતા વાળી કોટક મહિન્દ્ર બેંક, ગોંડલ બ્રાંચનો ચેક આપેલો હતો. જે ચેક કિશોરભાઇએ તેમના ખાતા વાળી એકસીસ બેંક, રણછોડનગર બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક બિન ચુકતે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીને કોઇ જવાબ આપેલો નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આરોપી વાસુભાઇ નરેશભાઇ તળાવીયા વિરૂધ્ધ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ છે.

(3:02 pm IST)