Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બેંક ઓફ બરોડાના શ્રી રીંગસીયાને વિદાયમાન :

બેંક ઓફ બરોડા રાજકોટ ક્ષેત્રના ડે. જનરલ મેનેજર આર.એન. રીંગસીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા સ્ટાફગણ દ્વારા માનભેર વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના કે. પી. અંતાણી, જતીન ધોળકીયા, અલ્કેશ રાજવીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇથી નવનિયુકત થયેલ ડી.જી.એમ. અમિત તુલીને પણ પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. બકુલ અંતાણીએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. કાર્યક્રમનું સંચાલન નિરવ ઝાલા અને કે. ડી. રાજાણીએ કરેલ. (૧૬.૬)

(3:52 pm IST)