Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સાંઇબાબા સોસાયટીમાં રસ્તા કામનો પ્રારંભ : ખાતમુર્હુત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને દિલીપ આસવાણીની રજુઆતોને અંતે સફળતા મળી છે. લાંબા સમયથી વોર્ડ-૩ના રસ્તાઓની દયનીય અને ભંગાર તૂટેલા-ભાંગેલા રસ્તાઓ હતાં તે નવા બનાવવાની લોકોની પ્રબળ માંગ હતી. જેમાં રેલનગર અન્ડરબ્રીજ પાસે સાંઇબાબા સોસાયટીનો રસ્તો લાંબા સમયથી ખાડા-ખબડા થયો હતો જે રસ્તો મંજુર કરાયો છે જે ૩૦ લાખના ખર્ચે નવો રસ્તો બનશે. આ કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી કોંગી આગેવાનો, લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વ અશોકસિંહ વાઘેલા, બળદેવસિંહ ગોહિલ, હિનાબા ગોહિલ, સંગીતાબેન સરવૈયા, ઝાલા સીસ્ટર્સ , સહદેવસિંહ વાઘેલા, વજુભાઇ છૈયા, મુન્નાભાઇ હાજર રહ્યા હતાં. (૮.૧૯)

(3:51 pm IST)