Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સ્વાઇન ફલૂએ જામનગર રોડના મહિલાનો ભોગ લીધોઃ મૃત્યુઆંક ૭૮

૫૨ વર્ષના મહિલાએ વોકહાર્ટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૪૬ દર્દી દાખલ

રાજકોટઃ સ્વાઇન ફલૂએ ફૂંફાડો યથાવત રાખ્યો છે. વધુ એકનું મોત નિપજ્યું છે તે સાથે મૃત્યુઆંક ૭૮ થયો છે. જામનગર રોડ પુનિતનગર પાસે રહેતાં ૫૨ વર્ષના મહિલાને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટી હતો. તેણે દમ તોડી દીધાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જાહેર કર્યુ છે. શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે સ્વાઇન ફલૂ પોઝિટીવ ધરાવતાં ૪૬ દર્દી સારવાર હેઠળ છે.

(3:29 pm IST)