Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

નવા થોરાળામાં માનસિક બિમાર કુંભાર વૃધ્ધા સવિતાબેન સાકરીયા લિકવીડ પી જતાં મોત

રાજકોટ તા. ૯: નવા થોરાળા શેરી નં. ૧૩ સામે રહેતાં સવિતાબેન કાળુભાઇ સાકરીયા (ઉ.૮૦) નામના કુંભાર વૃધ્ધા તા.૬ના બપોરે ઘરે કોઇ લિકવીડ પી જતાં તબિયત બગડતાં મોત નિપજ્યું હતું. સવિતાબેનને સારવાર માટે માધાપર ચોકડી પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ગત સાંજે તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલના ડો. માનસીબેને જાણ કરતાં થોરાળાના એએસઆઇ જે. ક. જાડેજા અને પૃથ્વીસિંહે જરૂરી કાર્યવહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધા પોૈત્ર સાથે રહેતાં હતાં. તેમને માનસિક બિમારી પણ હતી. કયુ લિકવીડ પી ગયા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)