Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મ્યુ. કોર્પોરેશનની બેદરકારીનો પરચો ખુદ શાસકોને મળી ગ્યો : વિપક્ષ

રાજકોટ : વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, સફાઇ ઝુંબેશ નર્યુ નાટક હોવાનો પરચો ખુદ શાસક પક્ષ ભાજપને મળી ગયો છે કેમ કે ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે ખુલ્લા પ્લોટની સફાઇમાં બેદરકારી અંગે લેખીત ફરીયાદ કરવી પડી : જે પ્લોટમાં ગંદકી હોવાની જયમીન ઠાકરે ફરીયાદ કરી હતી તે પ્લોટ ખાનગી હતો છતાં સફાઇ થઇ તે માટે પ્લોટ માલીક પાસેથી સફાઇ ચાર્જ વસુલવો જોઇએ તેવી માંગ પણ વિપક્ષી નેતાએ ઉઠાવી છે

(4:06 pm IST)