Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મનસાતીર્થ એપાર્ટમેન્ટમાં ડોકટર વિપુલભાઇ બનજારાના કલીનીકમાં ર૦ હજારની ચોરી

રાજકોટ તા. ૯: મનસાતીર્થ એપાર્ટમેન્ટમાં આવેલ કલીનીકમાંથી ત્રણ માસ પહેલા તસ્કરોએ રૂ. ર૦ હજારની રોકડ રકમ ચોરી જતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથક પાસે આવેલ આશીર્વાદ હાઇટસ ર૦૧માં રહેતા ડોકટર વિપુલભાઇ ધીરેન્દ્રભાઇ બનજારા (ઉ.વ. ૪૪) નાં મનસાતીર્થ એપાર્ટમેન્ટમાં બજરાના ડેન્ટલ કલીનીકમાં ગત તા. ર૧-૧રના રોજ તસ્કરોએ શટર ઉંચકાવી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી રૂ. ર૦,૦૦૦/- રોકડા ચોરી ગયા હતા, કલીનીકમાં ચોરી થયાની તબીબને જાણ થતા તેણે ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરી હતી. દરમ્યાન પોલીસ મથકના પીએસઆઇ પી. એમ. ધાખડાએ તપાસ આદરી છે.

(4:05 pm IST)