Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ડો. સૈયદના સાહેબના ભાઈ શેહઝાદા માલેકુલઅશતરભાઈ સાહેબ શુજાઉદ્દીન રાજકોટમાં

રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના ડો. સૈયદના મોહમંદ બુરહાનુદ્દીન (રી.અ.)ના દિકરા સાહેબ અને ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.)ના ભાઈસાહેબ શેહઝાદા માલેકુલઅશતરભાઈસાહેબ શુજાઉદ્દીન ગઈકાલે બપોરે ટ્રેનથી રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર આવતા તેઓનું રાજકોટના જમાત દ્વારા ઈસ્તીકબાલ (સ્વાગત) કરવામાં આવ્યુ હતું. શેહઝાદા સાહેબ રાજકોટથી ગાડીમાં જામનગર ગયા હતા. તેઓ ૩૪માં દાઈ સૈયદના ઈસ્માઈલ બદરૃદ્દીન (રી.અ.)ના ઉર્ષ મુબારક માટે જામનગર આવેલા છે અને રાત્રે વાઅઝ મુબારક કરશે. આવતીકાલે ૧૦મીના શનિવારેે સાંજે મગરીબ - ઈશા નમાઝ બાદ જામનગરમાં વાઅઝ ફરમાવશે. ઉર્ષ પર હજારો લોકો જામનગર આવશે અને શનિવાર સૈયદના ઈસ્માઈલ બદરૃદ્દીન (રી.અ.)ના ઉર્ષ મુબારકનો દિન છે. શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાળાએ યાદી જણાવેલ છે.(૩૭.૫)

 

(11:25 am IST)