Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

શુભપ્રસંગો માટે એસ.ટી. બસ વ્યાજબી ભાડે આપો, જીવલેણ અકસ્માતોને બ્રેક લાગશે

રંધોળાની અકસ્માતની ઘટના દુઃખદ : સંજય ખૂંટ- નાનજીભાઇ

રાજકોટ, તા. ૮ લોકોને પ્રસંગોમાં સરકારની એસ.ટી. બસ સરળતાથી અને વ્યાજબી ભાડાથી ઉપલબ્ધ  ન હોવાથી શુભ પ્રસંગોમાં મોટા જોખમી ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. આવા વાહનોમાં  જીવલેણ અકસ્માતો નિવારવા માટે સરકારે જ વ્યાજબી ભાડે એસ. ટી. બસો પુરી પાડવી જોઇએ તેવી લાગણી રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટે કરી છે. જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનજીભાઇ ડોડીયાએ તેમાં સૂર પુરાવ્યો છે.

બન્નેએ રંઘોળા ગામની ગંભીર અકસ્માતની ઘટના યાદ કરી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી જણાવ્યું છે કે સરકારે ગરીબ મધ્યમ વર્ગને લગ્ન જેવા પ્રસંગોએ એસ. ટી. ની બસ વ્યાજબી ભાવથી ભાડે આપવી જોઇએ તો રંઘોળા જેવા બનાવ અટકાવી શકાય. સરકારે પ્રચાર માટેના કાર્યક્રમોમાં એસ. ટી. બસો વાપરવાના બદલે આવા કામમાં આપવી જોઇએ.

(4:41 pm IST)