Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ડબલ જંત્રીના વિરોધમાં ક્રેડાઈ આરબીએ રાજકોટ કલેક્ટરને આપશે આવેદનપત્ર

મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવા છતાં નક્કર પગલાં અને જાહેરાત નહીં થતા કાલે ક્રેડાઈઃ ગુજરાતના તમામ સીટી ચેપટર એક જ સમયે આવેદન પત્ર આપશે

રાજકોટ : જંત્રીના અનુસંધાને ગત સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળી ને ક્રેડાઈ ગુજરાત દ્વારા રજૂઆત તથા વિરોધ કરવામાં આવેલ અને સરકાર દ્વારા હકારત્મક અભિગમની ખાતરી આપવામાં આવેલ હતી.પરંતુ ૪ દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર પગલાં કે જાહેરાત કરવામાં આવેલ નથી.

જેને કારણે સમગ્ર રાજ્ય ની જનતામાં આ મુદ્દે અસમજ સાથે અરાજકતા ફેલાયેલ છે. આવતીકાલે ક્રેડાઇ ગુજરાતના તમામ સીટી ચેપટ્ટર એક સાથે એક સમયે પોત પોતાના શહેર માં કલેકટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધવા નું નક્કી કરેલ છે.જે અંતર્ગત ક્રેડાઈ આરબીએ એ પણ તા.૧૦/૨/૨૩ ના બપોરે ૧૨ :૦૦ કલાકે કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવાનું  નક્કી કરેલ છે

(9:56 pm IST)