Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

શ્રધ્‍ધા વિદ્યાલયનો વાર્ષિકોત્‍સવ

 શ્રધ્‍ધા વિદ્યાલયમાં ધો.૧થી ૧૨ કોમર્સ ગુજરાતી માધ્‍યમ અને ધો.૧થી ૮ અંગ્રેજી માધ્‍યમમાં આશરે ૭૦૦ બાળકો અભ્‍યાસ કરે છે. અંબાજી કડવા મેઇનરોડ ખાતે આવેલી આ શાળામાં બાળકોને ભણતરની સાથે સંસ્‍કાર અને આદર્શો પણ શીખવામાં આવે છે. હેમુગઢવી હોલ ખાતે શાળાનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૬૬ બાળકોએ ભાગ લીધો હતો. દેશની સંસ્‍કૃતિને ઉજાગર કરતા અનેક વિવિધ કાર્યક્રમો રજુ થયેલ ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, નીતિનભાઇ રામણી, સોનલબેન સેલારા, શૈલેષભાઇ ડાંગર તથા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ ખાસ ઉપસ્‍થિત રહીને બાળકોને બિરદાવ્‍યા હતા. અંદાજે ૧૨૦૦ જેટલા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા મહેમાનો ઉપસ્‍થિત હતા.

(4:32 pm IST)