Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વેલેન્‍ટાઈન-ડે ના દિવસે ‘કાઉ હગ ડે' ઉજવોઃ રાષ્‍ટ્રીયસ્‍તરે ઉજવાશે

ગૌરક્ષાએ આપણો રાષ્‍ટ્ર ધર્મ છે, ગૌ સેવા આપણા જીવનમાં વણાયેલી છે:ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહી પરંતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક, ઔષધિય મહત્‍વ પણ આપણે સૌએ સમજવું જોઈએઃ પૂ.સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતી * સમસ્‍ત મહાજન દ્વારા પત્રકાર પરીષદ

રાજકોટઃ વૈશ્વિક સ્‍તરે જન, જળ, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્‍થા સમસ્‍ત મહાજન દ્વારા, સમસ્‍ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્‍ટી અને એનિમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયાનાં સભ્‍ય ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શન હેઠળ  ૧૪ ફ્રેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે' ઉજવાશે. વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્‍દીમાં અનેક નવા નવા આવિષ્‍કારો કર્યા. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી, પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતને ખુબ જ પરેશાની કરી દીધી છે. તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટના વાદળો છવાયા છે, તેણે માનવ જાતના અસ્‍તિત્‍વ સામે ખતરો ઉભો કર્યો છે.

૨૧ મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્‍યા બની ગઈ છે ત્‍યારે ગૌ રક્ષા અને ગૌ સેવા એ મોટો પ્રશ્ન બન્‍યો છે. ગાય આરાધ્‍યની આરાધ્‍યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે. વિવિધ ધર્મનાં અનેક સંપ્રદાયોનો પ્રાણી માત્રની રક્ષા અને કલ્‍યાણનો ગૌરવશાળી વારસો ભારતમાં જોવા મળે છે. પ્રાણી માત્ર પરમેશ્વરની પ્રતિકૃતિ છે. તેમાંય ગૌમાતા સૌથી વધુ પૂજનીય આત્‍મા છે. ગાય વિશ્વમાતા છે. સર્વ સુખ પ્રદાયીની છે. ગૌ રક્ષા એ આપણો રાષ્ટ્ર ધર્મ છે. ગૌ સેવા આપણા જીવનમાં વણાયેલી છે. ગૌ સંસ્‍કૃતિ આપણા રાષ્ટ્રની આધારશીલા છે એટલે જ તો, ભારતવર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્‍કૃતિનાં દેશ તરીકે પ્રખ્‍યાત છે. પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે. કહેવાતું હતું કે આપણા દેશમાં ગાયના દુધની નદીઓ વહેતી હતી. ભારતીય સમાજમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્‍યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્‍પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયનાં છાણ-મૂતર પણ પવિત્ર હોય છે.

 આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં આગેવાનોએ જણાવેલ કે વેલન્‍ટાઇન-ડે નિમીતે ‘વેલન્‍ટાઇન-ડે'ની અનોખી રીતે ઉજવણી ‘કાઉ હગ ડે' તરીકે કરવી જોઈએ. પશ્ચિમનાં આંધળા અનુકરણમાં આપણે દેશની આર્ય સંસ્‍કૃતિને ભૂલીને વેલન્‍ટાઇન-ડે જેવા ગતકડાઓમાં ફસાઈ, આપણું સ્‍વત્‍વ ગુમાવી રહ્યા છીએ. જયારે એનાથી ઉલટું યુરોપ/અમેરિકામાં લોકો ‘ગાય'માંથી ‘પોઝીટીવ એનર્જી મેળવવા માટે ‘ ઘ્‍ંરૂ ણ્‍યઙ્ઘિં' માટે લોકો રૂપિયા ૫૨૦૦ જેટલી ફી ચુકવે છે. તેઓ ‘કાઉ હગ' દ્વારા રીચાર્જ થવા માટે એટલાં ફાફા મારે છે જયારે આપણી પાસે તો આર્ય સંસ્‍કૃતિની ધરોહર સમી ગીર ગાય છે કે જે કોરોનાનાં સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબિત થઈ છે. પヘમિી સંસ્‍કૃતિનાં આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીના યુવાનોને ગૌ-સંસ્‍કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાનાં ઉમદા આશય સાથે ‘વેલન્‍ટાઇન-ડે' ને ‘કાઉ હગીંગ ડે'નાં અનોખા કન્‍સેપ્‍ટ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.

જેમાં ગૌમાતાનું મહત્‍વ સમજાવવામાં આવશે. પશ્ચિમી સંસ્‍કૃતિનાં આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીનાં યુવાઓને ગૌ-સંસ્‍કૃતિ તરફ વાળવા અને ગાયનાં ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાનાં ઉમદા આશય સાથે ‘કાઉ હગીંગ ડે' ઉજવીએ છીએ. કાઉને હગ કરવાથી શરીરને સાત્‍વિક ઉર્જા મળે છે, માનસિક શાંતિ મળે છે, જેથી સ્‍વાસ્‍થ્‍ય અને પ્રસન્‍નતા વધે છે. ગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્‍કૃતિક, તબીબી, આરોગ્‍ય મુલ્‍ય પણ આપણે સૌએ સમજવું જોઈએ. ગાય માતા ની પુંછડી માં હનુમાનજી નો વાસ હોય છે. કોઈ પણ વ્‍યકિતને ખરાબ નજર લાગે  તો ગાય માતાની પુછડી માથે ફેરવવાથી, ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે, ગાયમાતાની પીઠ ઊપર એક કુંધ આવેલી હોય છે એ કુંધ ઊપર સુર્યકેતુ નામની નાળી હોય છે. રોજ સવારે ગાય માતા ની કુંધ ઊપર હાથ ફેરવવાથી  રોગોનો નાશ થાય છે.  ‘ગાયમાં હું કામધેનુ છું' એવું શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્‍ણે કહ્યું છે. ‘શ્રી કૃષ્‍ણલીલા' માં ગૌચરણનું મહત્ત્વ બતાવ્‍યું છે. શ્રીકૃષ્‍ણ ભગવાને જાતે ગૌ-પૂજા કરી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો ત્‍યારે કામધેનુએ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે ગાય એ ભારતીય સંસ્‍કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે, આપણા જીવનને ટકાવી રાખે છે, પશુ સંપત્તિઅને જૈવવિવિધતાનું પ્રતિનિધિત્‍વ કરે છે. તે માતા જેવા પોષક સ્‍વભાવને કારણે ‘કામધેનુ' અને ‘ગૌમાતા' તરીકે ઓળખાય છે, જે માનવતાને તમામ સંપત્તિ પ્રદાન કરે છે. સમય જતાં પશ્ચિમી સંસ્‍કૃતિની પ્રગતિને કારણે વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે. પヘમિી સભ્‍યતાની ઝાકઝમાળથી આપણી ભૌતિક સંસ્‍કૃતિ અને વારસો લગભગ વિસરાઈ ગયો છે. ગાયના અપાર લાભને ધ્‍યાનમાં રાખીને, ગાયને ગળે લગાડવાથી ભાવનાત્‍મક સમૃદ્ધિ આવશે અને તેથી માણસનું વ્‍યક્‍તિગત અને સામૂહિક સુખ વધશે. તેથી, તમામ ગાય પ્રેમીઓ પણ માતા ગાયના મહત્‍વને ધ્‍યાનમાં રાખીને ૧૪ ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે' તરીકે ઉજવે અને જીવનને ખુશહાલ અને સકારાત્‍મક ઊર્જાથી ભરેલું બનાવે.

 ગૌમતા ધાર્મિક, વૈજ્ઞાનિક, આર્થિક ઉપરાંત ઔષધીય દ્રષ્ટીએ પણ મહત્‍વની છે. ગાયને ભેટવાથી તે માતા સમા વાત્‍સલ્‍યથી તરબોળ થઈ જવાય છે. જે સંસ્‍કૃતિને વિદેશમાં મહત્‍વ અપાયું છે તેનો દેશમાં મહત્‍વ સમજાવવા માટે ‘કાઉ હગ ડે' જરૂરથી ઉજવવો જોઈએ  જેથી યુવા પેઢીને ગૌ માતાનું મહત્‍વ સમજાય અને આપણી ગૌ સંસ્‍કૃતિ જળવાઈ રહે તેમજ સૌ ગૌમાતાનાં આશીર્વાદથી પોતાના ક્ષેત્રમાં તન, મન, ધન થી આગળ વધી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીનાં મેમ્‍બર, ભારત સરકારનાં એનિમલ વેલ્‍ફેર બોર્ડનાં પ્રેસ અને પબ્‍લિક રિલેશન્‍સ કમિટીનાં મેમ્‍બર, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ - રાજકોટનાં પ્રમુખ અને સમસ્‍ત મહાજનનાં ટ્રસ્‍ટી મિતલ ખેતાણી દ્વારા પણ ભારત સરકારનાં ગૌ પ્રેમી, કેન્‍દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાજી ને ‘વેલન્‍ટાઇન-ડે' ને ‘કાઉ હગ ડે'તરીકે ઉજવવાની રજૂઆત કરવામાં આવી હતી અને તેનો પણ શ્રી રૂપાલા  દ્વારા ખુબ સારો પ્રતિભાવ મળ્‍યો હતો. ભારત સરકારનાં ‘એનીમલ વેલ્‍ફેર બોર્ડ'દ્વારા પણ તા. ૧૪ ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે' તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે. આ અંગે સૂચન - નિર્દેશ જાહેર કરવામાં આવ્‍યા છે કે સૌ ગૌ પ્રેમીઓ ‘વેલન્‍ટાઇન-ડે' ને ‘કાઉ હગ ડે' તરીકે ઉજવે. એનિમલ વેલ્‍ફેર બોર્ડ દ્વારા રજુ કરાયેલી ‘કાઉ હગ ડે' ઉજવવા માટેની અપીલમાં જણાવાયું છે કે આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્‍કૃતિ અને ગ્રામીણ અર્થવ્‍યવસ્‍થાની કરોડરજજુ છે.  ગાયના અપાર ફાયદા જોઈને, ગાયને ગળે લગાડવાથી ભાવનાત્‍મક સમૃદ્ધિ આવશે અને આપણા વ્‍યક્‍તિગત અને સામૂહિક સુખમાં વધારો થશે.

ભારત સરકારનાં મત્‍સ્‍ય, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નિર્દેશ અનુસાર ભારત સરકારનાં એનિમલ વેલ્‍ફેર બોર્ડ દ્વારા સૌ માટે જાહેર કરાયેલી અપીલમાં કહેવામાં આવ્‍યું છે કે ગાય ભારતીય સંસ્‍કૃતિ અને ગ્રામીણ અર્થવ્‍યવસ્‍થાનો મુખ્‍ય પાયો છે, તે આપણા જીવનને સુખી બનાવે છે તેમજ પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનીધીત્‍વ કરે છે. માનવતાને સર્વસ્‍વ પ્રદાન કરવાની શકિત ધરાવે છે.

સમસ્‍ત મહાજન દ્વારા યોજાયેલ આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં સૌ ને માહિતી આપવા મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઠકકર, કુમારપાળ શાહ, દેવેન્‍દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર, ડો. પ્રભુદાસ તન્‍ના, વીરાભાઈ હુંબલ સહીતનાં ગૌપ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આર્ષ વિદ્યા મંદિર, મુંજકા તેમજ હિંદુ ધર્માચાર્ય સભાનાં આંતરરાષ્ટ્રીય સંયોજક પરમ પૂજય પરમાત્‍માનંદ સરસ્‍વતીજીએ પણ આ પ્રસંગે ગૌ મહિમાનું વર્ણન કર્યું હતું. તેમણે સૌ ને અપીલ કરી હતી કે ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહિ પંરતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક, ઔષધિય મહત્‍વ પણ આપણે સૌ એ સમજવું જોઈએ. ભારતને વિશ્વગુરુ બનાવવાનાં આપણા સૌનાં સહિયારા પ્રયાસોમાં ગૌમાતા ખુબ જ મદદરૂપ થઇ શકશે.

‘કાઉ હગ ડે'ની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) અને રમેશભાઈ ઠકકર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬) નો સંપર્ક કરવા  જણાવાયું છે.

(3:59 pm IST)