Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ખોડિયારપરામાં રંજનબેન કોળીનું શાકભાજી સુધારતી વખતે મોત

રાજકોટ તા. ૯: કાનાભાઇના મફતીયાપરા પાસે ખોડિયારપરા આરએમસી કવાર્ટર બ્લોક નં. ૨માં રહેતાં રંજનબેન રાજશેભાઇ કાગડીયા (કોળી) (ઉ.૪૫) નામના મહિલા સાંજે ઘરે શાકભાજી સુધારતા હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કરતાં પરિવારમા઼ શોક છવાઇ ગયો હતો. થોરાળાના એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ જરૂરી કાર્યવહી કરી હતી.

રંજનબેનના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(2:50 pm IST)