Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભરશિયાળે પાણીકાપથી પ્રજા હેરાન-પરેશાન

આજે ૩ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો : શનિવારે પાછા પાંચ વોર્ડ રહેશે તરસ્યા : ટાંકાની સફાઇના કારણે તા.૧૧ના વોર્ડ નં.૮,૧૦,૧૧,૧ર અને ૧૩ના કેટલાક વિસ્તારોમાં વિતરણ બંધ રાખવા નિર્ણય

રાજકોટ, તા. ૯ :  રાજકોટના શિયાળાની કડકડતી ઠંડી જામી ગઇ છે ત્યારે પાણીના ટાંકાની સફાઇ સ્હિતના ટેકનીકલ કારણોથી ૧૧ના રોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૮, ૧૦ અને ૧૩ ના વિસ્તારોમાં બંધ રહેશે.  આ અંગે તંત્રની સત્તાવાર માહિતી મુજબ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન તથા મવડી પુનતિનગર પમ્પીંગ ટેશન પર જીએસઆર ટાકાની સફાઇ કામગીરી તથા ઇલે. અને મીકેનીકલ મેન્ટેનન્સની કામગીરી નકકી કરવામાં આવી છે ગુરૂ અને શનિવારે આ આવશ્યક કામગીરીક રવા માટે પાણીના ટાંકા ખાલી રાખવના છે. તા. ૧પ ચંદ્રેશનગર ઝોનમાં આજે રાજકોટના વોર્ડ નં. ૮ પાર્ટ, ૧૧ માટે અને ૧૩ પાર્ટમાં પાણી બંધ રહેતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો હતો.  વધુમાં શનિવારે આ સિવાયના બે વોર્ડ નં. ૧૦ પાર્ટ અને ૧ર માટે એટલે કે અડધા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. આ રીતે કડકડતી ઠંડીના શિયાળામાં પણ લોકોને પાણી બંધ રહેવાનો ગરમ અનુભવ મહાપાલિકા એ કરાવ્યો છે.

શનીવારે કયા કયા વિસ્તારમાં પાણી વિતરણની અસર

મ્યુ. કોર્પોેરેશનની વોટર વર્કસ શાખાઓ મવડલી ઝોન હેઠળ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવા નિર્ણય કર્યો છે. તેમાં વોર્ડ નં. ૮માં ચૈતન્ય પાર્ક, નાના મૌવા આવાસ, ગંગદેવ પાર્ક, પ્રધ્યુમન પાર્ક તથા વોર્ડ નં. ૧૦માં જય પાર્ક, સ્વાતી સોસા., પાવન પાર્ક, ઇગલનગર વોર્ડ નં. ૧૧માં શિવમપાર્ક, કાવેરી પાર્ક, અવધ પાર્ક, બંસરી પાર્ક, લાભદીપ સોસા. સાહિત્યના વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય.

(3:51 pm IST)