Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

લેઉવા પટેલ સમાજના રાણપરીયા પરિવાર દ્વારા રવિવારે સન્માન - સ્નેહમિલન

જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો

રાજકોટઃ તા.૯, રાજકોટ શહેરમાં રહેતા લેઉવા પટેલ સમાજના રાણપરીયા પરિવાર દ્વારા આગામી તા.૧૨ના રવિવારના રોજ સ્નેહમીલન સાથે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

કોઠારીયા મેઇન રોડ ઉપર  ફાયરબ્રિગેડની બાજુમાં કાંતિભાઇ વૈદ કોમ્યુનીટી હોલ ખાતે ૧૨મીના સાંજે ૪ વાગ્યાથી આયોજીત આ કાર્યક્રમમાં સર્વશ્રી ગોવિંદભાઇ રાણપરીયા (ગોપાલ ડેરી ચેરમેન), વજુભાઇ રાણપરીયા (કેશોદ લેઉવા પટેલ સમાજ પ્રમુખ), સંજય પાદરીયા, ડો. હર્ષીલ રાણપરીયા, કિરીટભાઇ રાણપરીયા, પી.આઇ. પરસોતમભાઇ રાણપરીયા, મામલતદાર હર્ષીલ રાણપરીયા, ડો. કલ્પેશભાઇ રાણપરીયા, ડો. ચાર્મીબેન રાણપરીયા, કલ્પેશભાઇ રાણપરીયા, વિનોદભાઇ રાણપરીયા, અશ્વીનભાઇ રાણપરીયા, પ્રેમજીભાઇ રાણપરીયા, વિશાલભાઇ રાણપરીયા અને વિજયભાઇ રાણપરીયા વિ. આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજુ થશે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી રમેશભાઇ રાણપરીયા, પરસોતમભાઇ રાણપરીયા, કિરીટભાઇ રાણપરીયા, મહેશભાઇ રાણપરીયા, ચુનીલાલ રાણપરીયા, ચેતનભાઇ રાણપરીયા અને સંજયભાઇ રાણપરીયા જોડાયા છે.

(3:41 pm IST)