Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કે. ટી. ચિલ્ડ્રનમાં રાતે વધુ એક બાળકનું મોતઃ આ મહિનામાં કુલ ૨૧ના મોત થયા

રાજકોટ તા. ૯: સિવિલ હોસ્પિટલની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક વર્ષમાં જ ૧૨૩૫ નવજાત બાળકોના મોત નિપજ્યાની ઘટનાથી રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. હજુ પણ કે. ટી. ચિલ્ડ્રનમાં નવજાતના મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો છે.ગઇકાલે દિવસ દરમિયાન ત્રણ બાળકોએ દમ તોડી દીધો હતો. ત્યાં મોડી રાતે વધુ એક બાળકનું મોત નિપજતાં જાન્યુઆરી મહિનામાં જ મૃત્યુઆંક ૨૧ થઇ ગયો છે. કે. ટી. ચિલ્ડ્રનમાં હાલમાં પુરતી સુવિધા હેઠળ ૪૦થી વધુ બાળકોની સારવાર થઇ રહી છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને કે. ટી. ચિલ્ડ્રન વિભાગના વડા ડો. પંકજ બુચ દાખલ તમામ નવજાતને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

(1:28 pm IST)