Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પુસ્તક અવલોકન : ધન્વી માહીં

દશા સોરઠીયા વણિક સમાજના સુરાપુરા, ગોત્ર, કુળદેવીની માહીતીથી સમૃધ્ધ પુસ્તક 'એ ટુ ઝેટ'

શીર્ષક : આણંદપરાથી ઝવેરી એ ટુ ઝેડ

પ્રકાશક : મહેન્દ્રભાઇ લોટીયા

૪૨૫, મહાવીર વીલો, કે.એસ. ટાઉન, બેંગ્લોર, મો.૯૨૪૧૫ ૨૩૨૨૩

સમસ્ત દશા સોરઠીયા વણિક જ્ઞાતિ, બેંગ્લોર દક્ષિણ વિભાગના પ્રમુખ મહેન્દ્રભાઇ લોટીયા દ્વારા દળદાર પુસ્તક તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં દશા સોરઠીયા વણિક જ્ઞાતિના આનંદપરાથી ઝવેરી અટક ધરાવતા સુરાપુરા, ગોૈત્ર કુળદેવી કોણ કોણ છે અને કયાં કયાં છે તેની સચિત્ર માહીતી મુકવામાં આવી છે. રપ૬ પાનાના આ પુસ્તકમાં અન્ય માહીતી પણ પીરસવામાં આવી છે. જેમ કે ઁ ના જાપ કરવાના ફાયદા, પોપૈયુ અને મગફળી આરોગવાના ફાયદા, યોગ વિષે, દાંત અને ઘુંટણના દુઃખાવા મટાડવા શું કરવું વગેરે જેવા પ્રકરણો પણ ઉમેરવામાં આવ્યા છે. કોઇપણને વિનામુલ્યે અપાતા આ પુસ્તકનું અત્યાર સુધીમાં ૧૨૦૦ નકલોનું વિતરણ થઇ ચુકયુ છે. કોઇપણ વ્યકિત મંગાવી શકશે. આ માટે નામ અને એડ્રેસ મો.૯૨૪૧૫ ૨૩૨૨૩ ઉપર મોકલવાના રહેશે.

(12:06 pm IST)