Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે રવિવારે ઓશો જન્મોત્સવ નિમિતે નિઃશુલ્ક ધ્યાન શિબિર

જમ્બોકેક કાપી ઉજવણી કરાશેઃ પુસ્તકો–ડાયરી કેલેન્ડર મેગેઝીનનું વિમોચન

રાજકોટ ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સંન્યાસ ઉત્સવ, ભજનકિર્તન, ગીતસંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, મૃત્યુ ઉત્સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્વનું એક માત્ર સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહયા છે.

૧૧મી. ડીસે.૧૯૩૧ના રોજ મધ્યપ્રદેશના જબલપુર પાસેના નાનકડા ગામ કુચવાડામાં પોતાના મોસાળે, ભૌતીક દેહ સ્વરૃપે તેઓ જન્મ્યા, માતા સરસ્વતી બહેન તથા પિતા બાબુલાલજીના આ સંતાનનો શરૃઆતના ૭ વર્ષ સુધીનો ઉછેર નાના નાની સાથે થયો

ઓશો જન્મદિવસની એક દિવસીય શિબિરની રૃપરેખા

સવારે ૬થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૭ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર નિયમીત કરવામાં આવે છે.) સવારેઃ ૭થી ૭.૩૦ બ્રેકફાસ્ટ સવારે ૮.૩૦થી ૯ ગુરૃવંદના સાથે ગુરૃ પુજન સવારે ૯થી બપોરે ૧ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે ૧થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ, બપોરે ૩થી ૪ ઓશો વિડીયો દર્શન, બપોરેઃ ૪ વાગ્યે ચાપાણી બપોરે ૪.૧૫થી  રાત્રે ૮ દરમ્યાન, કુંડલીની ધ્યાન ઓશો હાર્ટ ડાન્સ, સ્વામિ દેવરાહુલ દ્વારા હસીબા, ખેલીબા, ધરીબા ધ્યાનમ, ઓશો વર્લ્ડ મેગેઝીન, માં યોગ નિલમના પુસ્તક, ડાયરીકેલેન્ડર, અમૃત દ્વારા પુસ્તક વગેરેનું મહાનુભવોના હાથે વિમોચન, ઓશોના જન્મદિવસની લાઇવ વિડીયો પર સંધ્યા સત્સંગ, ઓશો જન્મદિન મુબારક હો કિર્તન સાથે સંન્યાસીઓ દ્વારા જમ્બો કેક કટીંગ રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ(હરિહર)

મહાપ્રસાદ બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે ૮.૩૦ વાગ્યે રાધીકા ગ્રુપના એચ.કે.લીયા, રક્ષાબેન, દિપા ચાવડા તથા અન્ય કલાકારો દ્વારા જુના પીકચરોના ગીતો ગઝલનો કાર્યક્રમ

અત્રે યાદ અપાવવું જરૃરી છે કે છેલ્લા ૭ મહીનાથી ઓશો ગીતાધ્યાન મંદિરનું કામ ચાલુ છે. ઓશોએ છેલ્લા ૫ મહીનાથી સમગ્ર ભારતમાં સમાચાર મોકલ્યા છેફેલાવ્યા છે. રાજકોટમાં ૧૧ ડીસે. ઓશો જન્મદિવસે બીજુ ઓશો ધ્યાન મંદિરનું એક દિવસીય ઓશો ધ્યાન શિબિર દ્વારા ઓપનીંગ છે. પરંતુ સંજોગો વસાત કામ પુરૃ થયેલ ન હોવાથી અમો દિલગીર છીએ જેથી કરીને ઓશો ગીતા ધ્યાન મંદિરને બદલે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે.

ગીતામાં તથા નિવેદીતાજીમાંનું એક સ્વપ્ન હતું. ગુરૃઋણ ચુકવવાનું પરંતુ આપણા શરીરની ચામડીથી ગુરૃની ચરણ પાદુકા બનાવીએ તોપણ ગુરૃઋણ ચુકવાયું નથી બન્ને બહેનોએ નિશ્ચય કરેલો કે ભલે ગુરૃઋણ ન ચુકવાય પણ પ્રયાસ અથાગ કરવો છે. રાજકોટમાં ઓશો સંન્યાસીઓ તથા પ્રેમીઓ માટે ધ્યાનશિબિરો માટે ઓશો ધ્યાન મંદિર બનાવવું જ છે જે આપણી નજર સામે પ્રથમ તબકકાનું કામ પુર્ણ થઇ ગયુ છે.

ઉપરોકત ઓશો જન્મદિવસ એક દિવસની ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વ.શાંતાબેન રામજીભાઇ ટ્રસ્ટે હાર્દિક અનુરોધ કરેલ છે. સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪–વૈદવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ સ્વામિ સત્યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(12:08 pm IST)