Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાજકોટના વાલીઓને ન્યાય નહિં મળે ત્યાં સુધી એફ.આર.સી. અને સ્કુલો સામે લડાઈ ચાલુ જ રહેશે

૩૫ સ્કુલોની ફી જ જાહેર થઈ એ પણ સ્પષ્ટ નથીઃ યુથ કોંગ્રેસ દ્વારા બુધવારે એફઆરસી કમીટી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

રાજકોટ, તા. ૮ : ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૧૭માં ફી વિષેયક લાવ્યા બાદ અમલના ઠેકાણા ન હતા. ત્યારબાદ રાજકોટથી ગુજરાતમાં યુથ કોંગ્રેસના માધ્યમથી આંદોલનના મંડાણ થયા ત્યારબાદ જે સ્કુલો મનફાવે તેવી ફી ઉઘરાવતા જેની ઉપર હલ્લાબોલ કરી અને ફી વધારો પરત ખેંચાવેલ. રાજકોટમાં જે આંદોલન છેલ્લા ૧૫ દિવસ ચાલેલું ત્યારબાદ વાલીને સાથે રાખી મુકેશ ચાવડા, ડો.રાજદીપસિંહ જાડેજા, નીતિન ભંડેરી દ્વારા સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા અને સુપ્રિમ કોર્ટ સ્કુલ સંચાલકોને લપડાક મારેલી બે મહિનામાં એફ.આર.સી. એ ગુજરાત રાજયની સ્કુલોની ફી નક્કી કરવી અને જો સ્કુલો (એફ.આર.સી.) સમક્ષ ન આવી હોય તેના પર પગલા લેવા ત્યારબાદ બધી સ્કુલોએ એફ.આર.સી.માં દાખલ થઈ પણ (એફ.આર.સી.)ના સભ્યોની મેલી મુરાદ સ્પષ્ટ જોવા મળતી હતી.

કારણ કે કઈ સ્કુલની કેટલી ફી તે અંગે સ્પષ્ટ અભિપ્રાય નથી જેમ કે આર. કે. સી. સ્કુલ દ્વારા ફી વધારો ઘટાડવામાં આવેલ છે જેમાં કયાં ધોરણની કેટલી ફી એફ.આર.સી. કમીટીએ નક્કી કરેલી અને અગાઉ વધારાની કેટલી ફી ધોરણવાઈઝ લીધેલી અને કયાં ધોરણને કેટલી ફી પાછી મળશે તેવો એફ.આર.સી. કમીટી દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો નથી.

સ્કુલ સંચાલકોને એફ.આર.સી. ચેરમેન અને એફ.આર.સી. કમીટી દ્વારા છાવરવાનું પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું અને જયાં સુધી સમગ્ર રાજકોટના વાલીઓને પુરતો ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ એફ.આર.સી. કમીટી અને સ્કુલો સામે ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

આવનારા દિવસોમાં કેટલી સ્કુલો રાજકોટમાં ફી નક્કી નથી થઈ તો તેના માટે જવાબદાર કોણ? અને શા માટે ૩૫ સ્કુલોની ફી જ જાહેર થઈ એ પણ સ્પષ્ટ નહિં? અને રાજકોટની બાકી રહેતી સ્કુલોની ફી તાત્કાલીક અસરથી એફ.આર.સી. જાહેર કરે અને જે રીતે એફ.આર.સી. દ્વારા રાજકોટના વાલીઓને ગુમરાહ કરવાનું બંધ કરે. યુથ કોંગ્રેસના માધ્યમથી સ્કુલ સંચાલકો અને એફ.આર.સી. સામે આંદોલન જે સૌરાષ્ટ્રમાં આશરે ૫ હજાર કરતા પણ વધારે શાળાઓ છે તે બધાનો ડેટા સહિત એફ.આર.સી.ના માધ્યમથી રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી સાચી હકીકત રાજકોટના વાલીઓને મળે તેના માટેના યુથ કોંગ્રેસના આંદોલન થકી અમારા પ્રયત્નો રહેશે અને સમગ્ર સ્કુલોની ફી જાહેર તેના માટે અમારી લડત ચાલુ રહેશે અને આગામી બુધવારે એફ.આર.સી. કમીટી સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ હતું.

તસ્વીરમાં યુથ કોંગ્રેસના આગેવાનો સર્વેશ્રી ડો.રાજદીપસિંહ જાડેજા (મો. ૯૮૨૪૩ ૦૦૦૦૭), મુકેશભાઈ ચાવડા (મો.૯૮૨૪૨ ૧૮૫૦૦), નીતીનભાઈ ભંડેરી (મો. ૯૮૭૯૫ ૮૩૭૯૫) સાથે યુવા એડવોકેટ મલ્હાર સોનપાલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:32 pm IST)