Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ચુડાના ભુગુપુરના ૧૩ વર્ષના અશ્વિનનું ધજાળા ગામે હોસ્ટેલમાં જનાવર કરડતાં મોત

રાજકોટ તા. ૮: ચુડા તાબેના ભુગુપુર ગામના અશ્વિન મફાભાઇ મંદુરીયા (ઉ.૧૩) નામના દેવીપૂજક પરિવારના બાળકને સાયલાના ધજાળા ગામે હોસ્ટેલમાં હતો ત્યારે કોઇ જનાવર કરડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મૃત્યુ પામનાર અશ્વિન ચાર ભાઇમાં નાનો હતો. પિતા છુટક મજૂરી કરે છે. અશ્વિન ધજાળા ગામે હોસ્ટેલમાં રહીને ધોરણ-૮માં ભણતો હતો. છએક દિવસ પહેલા તે અચાનક બિમાર પડી ગયાની જાણ થતાં પરિવારજનો તેને તેડી લાવ્યા હતાં અને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં જનાવર કરડી ગયાનું નિદાન થયું હતું. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:12 pm IST)