Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ ખાતે આયંબીલ ઓળીમાં વિવિધ ધર્મ આરાધના

રાષ્ટ્રીય સંત પૂ. કમલમુનિ મા.સાની પાવન નિશ્રા : અખંડ નવકાર મહામંત્રના જાપ, પ્રવચન સહીતના આયોજન

રાજકોટ તા. ૮ : શ્રમણ સંઘીય મંત્રી રાષ્ટ્રીયસંત પૂ. કમલમુનિ મ.સા.ઠા.૬ ના સુમંગલ સાનિધ્યે શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે ''આસો માસની શાશ્વતી આયંબિલ ઓળી'' ના મંગલ પ્રારંભ તા.૧ર મંગળવારથી થઇ રહેલ હોય તપના આ રૂડા દિવસમાં આયંબિલ ઓળી ઉપરાંત કાયમી નવકાર મહામંત્રના તથા ચોવીસા યંત્રના જાપ નવપદજીની મહિમા સમજાવતા નવ દિવસ આત્મલક્ષી અને પ્રભાવશાળી પ્રવચન, સવારના ૭ થી સાંજના ૭ સુધીના નવકાર મહામંત્રના અખંડ જાપનું આયોજન કરવામાં આવેલ છે.

આગામદિવાકર પૂ.જનકમુનિ મ.સા. શાસ્ત્રદિવકાર પૂ. મનોહરમુનિ મ.સા.તથા સાધકબેલડી પૂ.નંદા સુનંદાબાઇ મ.સા.ની પ્રેરણાથી થયેલ સંઘમાં કાયમી આસો માસની ઓળી આદર્શ સુશ્રાવક સ્વ. મણીલાલ તારાચંદ શાહ જામનગરવાળા હઃ ચંદુભાઇ શાહ તરફથી તેમજ વિનયપ્રજ્ઞા પૂ. સાધનાબાઇ, સંગીતાબાઇ મ.સા.ની પ્રેરણાથી થયેલ કાયમી અખંડ જાપ સ્વ. હંસાબેન છોટાલાલ કોઠારી પરીવારનું અમીત તથા સુનીલ કોઠારી તરફથી એવમ સુદીર્થ સંયમ પયાયંધારી સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સ.ઠા.૬ ની પ્રબળ પ્રેરણાથી થયેલ કાયમી અખંડ જાપ ગુરૂણી ભકત મગનલાલ નથુભાઇ નાગોદ્રા માતુ કાંતાબેન મગનલાલ નાગોદ્રા ધર્મવત્સલા હીમાબેન રાજુભાઇ શાહ ધ્રાંગધ્રાવાળા, માતુશ્રી હેમતલાબેન મગનલાલ પટવા, સુદાન જશુબેન વિજયભાઇ ચૌહાણ તથા માતુશ્રી શોભનાબેન મહેન્દ્રભાઇ દોશી બગસરાવાળા હઃ અવનીબેન ભાવેશભાઇ દોશી તરફથી થશે. તથા તપસ્વીના સમુહ પારણાનો લાભ ધમૃવત્સલા શોભાનાબેન મહેન્દ્રભાઇ દોશી બગસરાવાળા હસ્તે યુવાદાતા ભાવેશભાઇ દોશી લઇ રહ્યાં છે. સંઘના દરેક શ્રાવક ભાઇ - બહેનોને દર્શન તથા વ્યાખ્યાન વાણીનો લાભ લેવા તેમજ આયંબિલ તપ કરવા ઇચ્છુક તપસ્વીઓને પોતાના નામ આગલા દિવસે નયનાબેન વોરા અથવા ચારૂબેન અદાણી પાસે લખાવવા તેમ સંઘપ્રમુખ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે.

(3:11 pm IST)