Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઇદે મીલાદુન્નબી નિમિતે મુસ્લીમ સમાજની શનિવારે હસનશા પીરની દરગાહે મીટીંગ

રાજકોટ તા. ૮ :.. મુસ્લીમ અગ્રણી અને ઇદે મીલાદુન્નબી કમીટીના પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજાની યાદીમાં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર તાજદારે મદિના આકા એ નામદાર હુઝૂર મુહંમદ (સલ્લલ્લાહો અલૈહે વાસલ્લમ)ના વિલાદત પર્વને વધાવવા કામે શનીવાર તા. ૯-૧૦-ર૦ર૧ રાત્રીના ૯ કલાકે મુસ્લીમ સમાજની અગત્યની બેઠક હસનશા પીર દરગાહ જંગલેશ્વર રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

જેમાં તમામ મસ્જિદ કમીટી, દરગાહ કમીટી, વાએજ કમીટી, તાજીયા કમીટી, સબીલ કમીટી, ન્યાઝ કમીટી, મદ્રેસા કમીટી વગેરે તમામ કમીટીના સંચાલકોને તથા મુસ્લીમ સમાજના આગેવાન તેમજ લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:58 pm IST)