Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનું માધાપર ચોકડીએ ભવ્ય સ્વાગતઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇનાં આશિર્વાદ લીધા

રાજકોટ : રાજયનાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તેઓની જન આશીર્વાદ યાત્રા માટે સવારે ૧૧-૩૦ વાગ્યે રાજકોટ પહોંચ્યા ત્યારે માધાપર ચોકડીએ તેઓનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયેલ તે વખતની તસ્વીરમાં મેયર પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ડે. મેયર ડો. દર્શીતા શાહ, પ્રદેશ ભાજપ મહામંત્રી બિનાબેન આચાર્ય પ્રદેશ ભાજપ સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા રાજૂભાઇ ધ્રુવ વગેરે દર્શાય છે. ઉપરની તસ્વીરમાં રાજકોટ આવતા જ સાથે જ શિક્ષણ મંત્રી વાઘાણી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતાં. અને તેઓનાં આશિર્વાદ લીધા હતાં. તે દર્શાય છે. આ તકે શહેર પ્રમુખ કમલેશ મીરાણી પણ દર્શાય છે. (તસ્વીર :- સંદીપ બગથરીયા)

(12:47 pm IST)