Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી શ્રી ખોડલધામના દર્શને-ધ્વજારોહણઃ ભવ્ય રજતતુલા

રાજકોટઃ કાગવડ શ્રી ખોડલધામ ખાતે શ્રી ખોડિયાર માતાજીના દર્શને આજે રાજ્યના નવનિયુકત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આવ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શ્રી ખોડલ માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ધ્વજારોહણ કર્યુ હતુ. આ તકે જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જયેશભાઈ રાદડીયા, મનસુખભાઈ ખાચરીયા, ભૂપતભાઈ બોદર, મથુરભાઈ સવાણી, ગોરધનભાઈ ધામેલિયા, રાજુભાઈ ધ્રુવ, નાગદાનભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા ક્ષેત્રના આગેવાનોએ જીતુભાઈ વાઘાણીનું પૂષ્પહાર તથા મોમેન્ટો આપીને સન્માન કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:58 pm IST)