Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

થાનગઢમાં કનુભા ખાચર પર ભાભલુભા ખાચરનો છરીથી હુમલોઃ લૂંટનો આક્ષેપ

લાઇટ રિપેરીંગ વખતે બાજુવાળાની લાઇટ પણ જતી રહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૮: થાનગઢમાં નવાગામ ચોકમાં રહેતાં અને ઘર પાસે શકિત પાન એન્ડ ટી સ્ટોલ નામે દૂકાન ધરાવતાં કનુભા નાનકુભાઇ ખાચર (ઉ.૪૩) નામના કાઠી દરબાર વેપારીને સાંજે પોતાની દૂકાને હતાં ત્યારે ગામના જ ભાભલુ દાદભાઇ ખાચરે આવી ઝઘડો કરી હાથમાં છરી ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કનુભાએ જણાવ્યું હતું કે પોતાની દૂકાનની લાઇટ જતી રહેતાં કારીગરને બોલાવી રિપેરીંગ કરાવ્યું હતું એ વખતે ભાભલુભા બાજુના મારૂતિ વે બ્રીજમાં કામ કરતાં હોઇ તેની લાઇટનો છેડો હલી જતાં ત્યાં પણ લાઇટ જતી રહેતાં તેણે આવીને ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. તેમજ પોતાનો સોનાનો ચેઇન ખેંચી લઇ રૂ. ૧૮હજાર પણ પડાવી લીધા હતાં.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે આ અંગે થાન પોલીસને જાણ કરી હતી.

(4:23 pm IST)