Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગાંધીગ્રામ શ્યામનગરના ખવાસ વૃધ્ધ ચંદુભાઇ પરમારનો એસિડ પી આપઘાત

બીજા બનાવમાં નટરાજનગરના મંજુાલબેન પરસાણા દાઝયા

રાજકોટ તા. ૮: ગાંધીગ્રામ શ્યામનગરમાં રહેતાં ચંદુભાઇ લાખાભાઇ પરમાર (ઉ.૬૮) નામના રજપૂત વૃધ્ધે પોતે ઇન્દિરા સર્કલ નજીક આવેલા યોગી કોમ્પલેક્ષમાં સિકયુરીટી ગાર્ડની નોકરી પર હતાં ત્યારે ગઇકાલે કોઇ કારણોસર એસિડ પી લેતાં મોત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ગાંધીગ્રામ પોલીસ મથકના રવજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ એએસઆઇ પુષ્પાબેન એન. પરમાર ચલાવી રહ્યા છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં નટરાજનગર મેઇન રોડ બી-૧૦માં રહેતાં મંજુલાબેન પરષોત્તમભાઇ પરસાણા (ઉ.૬૦) નામના પટેલ વૃધ્ધા ઘરે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મંજુલાબેનના પતિ નિવૃત જીવન જીવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવ કઇ રીતે બન્યો તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. (૧૪.૮)

 

(4:10 pm IST)