Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પોલીસ હેડકવાર્ટરમાં આરપીઆઇ કચેરીમાં પડી જતાં પોલીસમેનનું મોત

માનવેન્દ્રસિંહ ગોૈર મુળ લાતુરના વતની હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: શહેરના પોલીસ હેડકવાર્ટરની આરપીઆઇ કચેરીના ત્રીજા માળે પડી જતાં પાળીનો ખુણો લાગી જતાં  ગંભીર ઇજા થતાં હેડકવાર્ટરના પોલીસ કોન્સ્ટેબલ માનવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ગોૈર (રાજપૂત) (ઉ.૪૦)નું મોત નિપજ્યું છે.

માનવેન્દ્રસિંહ મુળ મહારાષ્ટ્ર લાતુરના વતની હતાં. તેમને સંતાનમાં એક પુત્ર રોહિત સિવાય કોઇ નથી. તે સુરતમાં રહી નોકરી કરે છે. તેને જાણ થતાં તે રાજકોટ આવી ગયા હતાં. મૃતક વર્ષોથી હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં હતાં અને કલોથીંગ સ્ટોરમાં જ મોટે ભાગે સુઇ રહેતા હતાં. આરપીઆઇ કચેરીમાં તેઓ પોલીસ કર્મચારીઓ માટેના બોડી પ્રોટેકટર લેવા ગયા ત્યારે લપસી પડતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગરના પીએસઆઇ બી. જી. ડાંગર અને શકિતસિંહ ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(12:11 pm IST)