Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ચુનારાવાડ ચોકમાંથી બેભાન મળેલા યુવાનનું મોતઃ વાલીવારસની શોધ

મૃતકના સગા સંબંધી હોય તો થોરાળા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૮: ચુનારાવાડ ચોકમાંથી તા. ૬ના બપોરે આશરે ૩૦  થી ૩૫ વર્ષનો યુવાન બેભાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજ્યું છે. આ યુવાને કાળો બ્લુ શર્ટ અને ભુખરૂ પેન્ટ પેહર્યુ છે. ડાબા હાથમાં ધાતનું કડુ પહેયુૂ છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો થોરાળા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ કે. કે. પરમાર અને નારણભાઇ સિરોલીયા વિશેષ તપાસ ચલાવે છે.

(12:11 pm IST)