Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

એ અજાણ્યા પુરૂષે મૃત્યુ પહેલા પોતાનું નામ રણજીતસિંહ જણાવ્યું હતું: વાલીની શોધખોળ

જામનગર રોડ બગીચા નજીકથી બીજી તારીખે અર્ધબેભાન મળ્યા બાદ મોત થયું'તું

રાજકોટ તા. ૮: જામનગર રોડ સાંઢીયા પુલ ઉતરતા એરપોર્ટ રોડ પરના બગીચા નજીકથી તા. ૨-૯ના રાત્રે સાડા નવેક વાગ્યે  અજાણ્યો આશરે ૩૮ થી ૪૦ વર્ષનો યુવાન માથામાંઇજા થયેલી હાલતમાં અર્ધબેભાન મળતાં ૧૦૮ માફરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. તેનું સારવાર દરમિયાન તા. ૫ના રોજ મોત નિપજ્યું છે. મૃતક યુવાન શરીરે પાતળા બાંધાનો છે અને વાને ઘંઉવર્ણો છે. ઉંચાઇ આશે ૫ ફુટ ૬ ઇંચ છે. માથામાં થોડી ટાલ છે અને શરીરે બ્લુ રંગનો ચેકસ શર્ટ તથા આછા ભુખરા રંગનું પેન્ટ પહેરેલુ છે. પોલીસે તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે ૧૦૮ના ઇએમટી ગોહિલ સમક્ષ આ યુવાન અર્ધબેભાન મળ્યો ત્યારે પોતાનું નામ 'રણજીતસિંહ' જણાવ્યું હતું. આજ સુધી તેની ઓળખ થઇ શકી નથી. ગાંધીગ્રામના પીએસઆઇ એન. એમ. સોલંકી તથા દિવ્યરાજસિંહે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ, સગા સંબંધી, પરિચીત હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:10 pm IST)