Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આંબેડકરનગરના મકાનમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

માલીયાનગર પોલીસનો દરોડો : કાન્તી, અશ્વીન, ગુલમામદ અને સરતાજની ધરપકડ

રાજકોટ,તા. ૮ : દોઢ સો ફુટ રોડ પર આંબેડકરનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આંબેડકરનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસને બાતમી મળતા પી.એસ.આઇ જી.કે.પરમાર તથા કોન્સ. સંજય રાજભાઇ બારોટ સહિતે દરોડો પાડી આંબેડકરનગર સોસાયટી શેરી નં. ૧માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક કાન્તી રામજીભાઇ સાગઠીયા, અશ્વીન કાનજીભાઇ મુછડીયા, ગુલમામદ સુલેમાનભાઇ જોબન અને સરતાજ હુશેનભાઇ સોલંકીને પકડી લઇ રૃા. ૧૨,૪૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:57 pm IST)