Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા અનાજકીટનું વિતરણ

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરૂરીયાતમંદ ૧૪૩ જેટલા લોકોને કાચી ખીચડી તથા ૧૧૬ જેટલા જરૂરિયાતમંદોને ખાંડ,ગોળ,મમરા,પૌવા,નિમક,ગોપાલ છાસ તથા નમકીનના પેકેટ સહિતની અનાજની કીટનું વિતરણ થયેલ જેનો પ્રારંભ જાણીતા હોમીઓપેથીક ડો.એન.જે.મેઘાણીના હસ્તે થયો હતો. પ્રમુખ સ્થાને બજરંગ ટ્રસ્ટના માનદ મંત્રી બી.એમ.પુજારા તેમજ અતિથિવિશેષ તરીકે આયુર્વેદાચાર્ય ડો.કેતનભાઇ ભીમાણી, વિવેકાનંદ સેવા સમિતિવાળા જે.ડી.ઉપાધ્યાય, જાણીતા એડવોકેટ જતીનભાઇ કારિઆ, સર્વહિત એકયું. વાળા જૈન અગ્રણી ભાવનાબેન મહેતા તથા મધુબેન જોશી, વીણાબેન બી.પુજારા, હરિદ્વાર આશ્રમ વાળા પ્રવીણભાઇ શાહ, કથાકાર પ્રવીણભાઇ ભટ્ટ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. તમામ લાભાર્થીઓને ખાંડ, ગોળ,ખીચડી, મમરા, પૌવા, નિમક, છાસ તથા નમકીન દાતા દિલીપભાઇ સોમૈયા, ઘોઘુભા બાબુ (પૃથ્વીસિંહજી જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ), સ્વ.કિરણબેન પંડ્યા હસ્તે નિશાબેન પંડ્યા, સવાભાઇ ડાંગર, આર.એસ.બાવીસી પરિવાર, શેર બ્રોકર રાજુભાઇ ગાંધી, પરાગભાઇ પારેખ, કલ્પાબેન પંચમીયા, કમલભાઇ પોબારૂ તથા હોનેસ્ટ સ્ટોરવાળા દિપભાઇ ખેતાણી તરફથી મળેલ. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી.કારીઆ, રોહિતભાઇ કારિઆ, દિનકરભાઇ રાજદેવ, અજયભાઇ કારિઆ, ધેર્ય રાજદેવ, ગોરધનભાઇ લાલસેતા, અરજણભાઇ પટેલ, મનીષભાઇ વસાણી, કિશોરભાઇ પારેખ, હસુભાઇ વડેરા, ચંદુભાઇ કક્કડ, દિનેશભાઇ આડેસરા, દેવાંગભાઇ શેઠ, રીનાબેન સોની, કર્મ કારિઆ, રત્નાબેન મહેશ્વરી, માયાબેન ગોહેલ, મીત્સુબેન કારિઆ, રક્ષાબેન કોટેચા, જીતુભાઇ દામામી, રમેશભાઇ સરવૈયા, મનુભાઇ ટાંક, પ્રવીણભાઇ ગેરિયા સહીત અસંખ્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:25 pm IST)