Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, નાલાસોપારામાં ચાતુર્માસ આરાધના

રાજકોટ, તા. ૮ : શ્રી નાલાસોપારા (વે) શ્રી વર્ધમાન સ્થા. જૈન સંદ્યના માતુશ્રી મોંધીબેન સામત સાંગણા ગાલા ભચાઉ જૈનધર્મ સ્થાન કેમાં નવલ ગુરૃકુળ અને નવલ જેન પ્રકાશ માસિકના પ્રેરક આચાર્ય શ્રી પ્રકાશચન્દ્રજી સ્વામી

આદી-ઠાણા-૭નો ભવ્ય ચાતૂર્માસ પ્રવેશ પૂ.મહાસતીજી શ્રી ધર્મેચ્છાબાઇ તથા પૂ. શ્રી સુભદ્રાભાઇ તથા પૂ શ્રી

સુયશાભાઇ મ.સ. આદી ઠાણાઓની મંગલ ઉપસ્થિતીમાં ભવ્યતા પૂર્વક થયા બાદ ચાતુ ર્માસિક આરાધનાઓનો મંગલ પ્રારંભ થઇ ચૂકયો છે. તપસ્વી ઉપાબેન અશોકભાઇ મોરબીયા (મોટીરવ) ની ૧૬

ઉપવાસની તપસ્યા પરિપૂર્ણ થઈ. શ્રીમતી હેતલ બેન મનસુખભાઇ શાહ (ત્રબો) ૧૫ માં ઉપવાસ સાથે તપ આરાધનામાં આગળ વધી રહયો છે,  દેવરાજ વાલજી ગડાના પ્રમુખ સ્થાને ૧૫૦૦શ્રવાક-શ્રાવિકઓની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સુમારોહનું આયોજન રૃપ-નવલ-રામ ચાતુર્માસિક વાટીકામાં થયુ હતુ. મહિલા પ્રમુખ શ્રીમતી લીલાબેન હંસરાજ નંદુ, અને શ્રી નવલબેન રીટા તથા જૈન શાળાઓની બાળાઓએ સ્વાગત ગીત ૨જૂ કરેલ. સવારના નવકારશી નો લાભ કાન્તીલાલ રતનશી ગડા તરફથી અને બપોરના સંધ જમણા શ્રીમતી ૨ખુબેન દેવરાજ ગડા (લાકડીયા) ત૨ફથી થયેલ. સંદ્યના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દામજીભાઇ લખમશી ફૂરીયા સંંઘ પ્રમુખ શ્રી કાન્તીલાલ રતનશી ગડા, સ્થાનકનો મુખ્ય દાતા શ્રી જગાશીભાઇ સામત સાંગા ગાલા, મત્રી શ્રી મનોજભાઇ દામજી છાડવા વિ.એ પ્રાસંગિક પ્રવચન, સ્વાગત અને આભારવિધિ કરી હતી,

 

(12:45 pm IST)