Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અજરામર સંઘમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ અવસરે જૈન અગ્રણી- સેવાભાવી પ્રતાપભાઈ વોરાનું સન્માન

રાજકોટ,તા.૮: સેવાભાવી જૈન અગ્રણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિના પૂર્વ સદ્દસ્ય, મહાવીર નગર સ્થા.જૈન સંઘ,નવકાર મંડળ સહિત અનેક સંસ્થાઓમાં નિષ્કામ ભાવે દાયકાઓથી સેવા પ્રદાન કરનાર પ્રતાપભાઈ વોરા (મો.૯૪૨૭૨ ૫૫૦૦૫)નું અજરામર સંઘ દ્વારા ચાતુર્માસ પ્રવેશોત્સવ અવસરે જાજરમાન અભિવાદન કરવામાં આવ્યું.

ચાતુર્માસ પ્રવેશોત્સવના  પાવન અવસરે પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ, મનોજ ડેલીવાળા, પરેશભાઈ સંઘાણી, મધુભાઈ શાહ, સુશીલભાઈ ગોડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર, કિરીટભાઈ સંઘવી, અલ્કેશભાઈ ગોસલીઆ, વિજયભાઈ શાહ, મહેન્દ્રભાઈ સંઘવી વગેર ટ્રસ્ટીગણે દરેકનું ભાવભર્યુ સ્વાગત કરેલ.

(3:53 pm IST)