Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં નિતાબેન જાખરીયાનું બેભાન હાલતમાં મોત

બે મહિનાથી પતિ સાથે રહેતા'તાઃ મુળ જામનગરના

રાજકોટ તા. ૮: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ શિતલ પાર્ક પાસે આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં નિતાબેન મગનભાઇ જાખરીયા (દરજી) (ઉ.૬૦) સાંજે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. ભગીરથસિંહ ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મુળ જામનગરના વતની હતાં. મગનભાઇ સાથે બાર વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતાં. છેલ્લા બે માસથી પતિ-પત્નિ રાજકોટના વૃધ્ધાશ્રમમાં રહેવા આવ્યા હતાં. નિતાબેનને આગલા ઘરના દિકરો-દિકરી છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:43 am IST)